નવી દિલ્હી43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે પોતાની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી (ફાઇલ ફોટો)
રેમન્ડ ગ્રુપની ત્રણ કંપનીએ વિવાદ વચ્ચે પત્ની નવાઝ મોદીને પોતાનાં બોર્ડમાંથી હાંકી કાઢ્યાં છે. 31 માર્ચે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ (EGM) દ્વારા JK ઇન્વેસ્ટર્સ લિમિટેડ (JKI), રેમન્ડ કન્ઝ્યુમર કેર (RCCL) અને સ્માર્ટ એડવાઇઝરી એન્ડ ફિનસર્વે નવાઝ મોદીને બોર્ડમાંથી હાંકી કાઢ્યાં છે. ઈકોનોમિક્સ ટાઈમ્સે તેના એક રિપોર્ટમાં આ અંગે માહિતી આપી છે.
નવાઝ મોદીને જૂન 2015માં JKI, ડિસેમ્બર 2020માં RCCL અને ઓક્ટોબર 2017માં સ્માર્ટ એડવાઈઝરી અને ફિનસર્વના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ કંપની રેમન્ડે હજુ સુધી નવાઝ મોદીને બોર્ડમાંથી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો નથી, પરંતુ તેઓ ટૂંક સમયમાં આવું કરી શકે છે.
રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બર 2023ના રોજ તેમનાં પત્ની નવાઝ મોદીથી અલગ થવાની જાહેરાત કરી હતી.
નવાઝ મોદીએ કહ્યું- પહેલા મારપીટ કરી અને હવે કાઢી મૂકી
બોર્ડમાંથી હટાવવાની માહિતી મળ્યા બાદ નવાઝ મોદીએ કહ્યું હતું કે ‘જ્યારથી હું ગૌતમ સિંઘાનિયાના ખોટાં કામોને ઉજાગર કરી રહી છું ત્યારથી મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પહેલા મારપીટ અને હવે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી છે.
અગાઉ જેકે ઈન્વેસ્ટર્સ અને સ્માર્ટ એડવાઈઝરીના શેરધારકોએ કંપનીને પત્ર લખ્યો હતો કે તેઓ ડિરેક્ટર તરીકે નવાઝ મોદીમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. શેરધારકોએ નવાઝ મોદીને બોર્ડમાંથી હટાવવા માટે મિટિંગની વિનંતી કરી હતી. આ પછી 31 માર્ચે બોર્ડની બેઠક અને ગુરુવારે શેરધારકોની બેઠક યોજાઈ હતી. હવે નવાઝને કાયદાકીય પ્રક્રિયા સાથે હટાવી દેવામાં આવ્યાં છે.
નવાઝ મોદી અલગ કરવા સામે પ્રોપર્ટીમાં 75% હિસ્સો માગે છે
રિપોર્ટ અનુસાર, ગૌતમ સિંઘાનિયાના અલગ થવાની જાહેરાત બાદ નવાઝ મોદીએ અલગ થવાની શરત રાખી હતી. તેણે કુલ 1.4 અબજ ડોલર (લગભગ 11 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો હતો. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
સિંઘાનિયાનાં કપડાં, રિયલ એસ્ટેટ સહિત અનેક બિઝનેસ છે
ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે. રેમન્ડ ગ્રુપ પાસે કપડાં, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટ સહિતના વ્યવસાયો છે. ગ્રુપની રેડીમેડ ગાર્મેન્ટ માર્કેટમાં મજબૂત હાજરી છે. તે ડેનિમ શ્રેણીમાં પણ અગ્રણી મેન્યુફેક્ચરર છે. કંપની ઉચ્ચ ગુણવત્તાની ડેનિમ સપ્લાય કરે છે.
- ગૌતમ નાનપણથી જ કારનો ક્રેજી રહ્યા છે. આ સમજીને તેના પિતાએ તેને તેના 18મા જન્મદિવસે પ્રીમિયર પદ્મિની 1100 કાર ભેટમાં આપી હતી.
- ગૌતમ સિંઘાનિયા ટેસ્લા મોડલ સહિત અનેક કારના માલિક છે
- ગૌતમ સિંઘાનિયાએ 1999માં નવાઝ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલાં બંને 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા.
- 2005માં ગૌતમ સિંઘાનિયાએ મુંબઈના બાંદ્રામાં ‘પોઈઝન’ નામની નાઈટ ક્લબ ખોલી હતી. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સિંઘાનિયા પરિવારની ખાસ મિત્ર છે.
- ગૌતમનું મહારાષ્ટ્રના અલીબાગમાં ફાર્મહાઉસ પણ છે, જ્યાં તે દર વર્ષે તેના મિત્રો અને પરિવાર માટે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરે છે.
ગૌતમ સિંઘાનિયા રેમન્ડ એન્ડ પાર્ક એવન્યુ કંપનીના માલિક છે. આ બિઝનેસની શરૂઆત તેમના પિતા વિજયપત સિંઘાનિયાએ કરી હતી.
નવાઝ જ્યારે 10 વર્ષનાં હતાં ત્યારે તેનાં માતા-પિતા અલગ થઈ ગયાં હતાં
- મુંબઈમાં જન્મેલાં નવાઝના પિતા વકીલ હતા. નવાઝ પાસે પણ લોની ડિગ્રી છે.
- નવાઝ 10 વર્ષના હતાં ત્યારે તેમનાં માતા-પિતા અલગ થઈ ગયાં હતાં.
- નવાઝ ફિટનેસ ફ્રિક છે. તેમણે મુંબઈમાં બોડી આર્ટ ફિટનેસ સેન્ટર શરૂ કર્યું.
- નવાઝ ભારતમાં Pilates અને Gyrotonics સ્ટુડિયો ખોલનારાં પ્રથમ મહિલા છે.
- તેઓ રાઈટર પણ છે. તેમનું ટાઈમ અરેસ્ટ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
નવાઝના પિતા લગ્ન માટે તૈયાર નહોતા
ગૌતમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પારસી યુવતીને પોતાની પત્ની બનાવવી સરળ નથી. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ તેમની પુત્રીની જીદ સામે તેમને ઝૂકવું પડ્યું હતું. લગ્ન પછી પણ સાંસ્કૃતિક મતભેદોને કારણે ગૌતમ અને નવાઝે ઘણાં એડજસ્ટમેન્ટ કરવા પડ્યાં હતાં.
ગૌતમનો તેના પિતા વિજયપત સિંઘાનિયા સાથે પણ વિવાદ થયો છે. ગૌતમ સિંઘાનિયા પર તેમના પિતાને ઘરમાંથી કાઢી મૂકવાનો પણ આરોપ છે. વિજયપત સિંઘાનિયાએ રેમન્ડ્સનો પાયો નાખ્યો હતો.
ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીનાં લગ્ન 1999માં થયાં હતાં. નવાઝના પિતા આ માટે તૈયાર નહોતા.
ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીને બે દીકરી છે. તેમનાં નામ નિહારિકા અને નિશા છે.